Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Ranolazine ઉપયોગ

એન્જાઇના (છાતીમાં દુખાવો) ને અટકાવવા માટે Ranolazine નો ઉપયોગ કરાય છે

Ranolazine કેવી રીતે કાર્ય કરે

Ranolazine હ્રદયના સ્નાયુને ઢીલા પાડી દઈને પ્રાણવાયુની જરૂરિયાત ઘટાડે છે. આનાથી એન્જાઇના થતો રોકી શકાય છે.

Ranolazine ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, માથાનો દુખાવો, ચક્કર ચડવા, કબજિયાત, નિર્બળતા
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Ranolazine માટે ઉપલબ્ધ દવા

Ranolazine માટે નિષ્ણાત સલાહ

  • અચાનક છાતીમાં દુખાવાનો (એન્જાઇના)નો હુમલો થાય તો તેની સારવાર માટે રેનોલેઝાઈન લેવી જોઇએ નહીં. તમને છાતીના દુખાવાનો (એન્જાઇના) હુમલો આવે તો તેની ચોક્કસ સારવાર માટે તમારા ડોકટર તમને સલાહ આપશે.
  • તમારા ડોકટર સાથે વાત કર્યા વિના રેનોલેઝાઈન લેવાનું બંધ ન કરવું.
  • રેનોલેઝાઈનથી તમને ચક્કર આવે અને તમારું માથું ભમવા લાગી શકે. ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં, અથવા માનસિક સતર્કતા અને સંકલન જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓમાં, આ દવા તમારા પર કેવી અસર કરે છે, તેની તમને જાણ ન થાય ત્યાં સુધી ભાગ ન લેવો.
  • ચૂકી ગયેલા ડોઝને બદલે બમણો ડોઝ ન લેવો.
રેનોલેઝાઈનનો ઉપયોગ ન કરવો :
  • જો તમે રેનોલેઝાઈન કે કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ.
  • જો તમને યકૃતનું સિરોસિસ હોય; યકૃતની મધ્યમ કે તીવ્ર સમસ્યા હોય.
  • જો કિડનીની તીવ્ર સમસ્યા હોય.
રેનોલેઝાઈન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી :
  • જો તમને ક્યારેય અસાધારણ ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ આવેલ હોય (ECG).
  • જો તમે વયોવૃદ્ધ હોવ.
  • જો તમારું વજન ઓછું હોય.
  • જો તમને હૃદયની નિષ્ફળતા હોય.