Donepezil ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે) અને પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ) ની સારવારમાં Donepezil નો ઉપયોગ કરાય છે
Donepezil કેવી રીતે કાર્ય કરે
Donepezil એ મગજમાં એસીટીલકોલાઈન એક રસાયણને ઝડપથી તૂટતા અટકાવીને કાર્ય કરે છે. એસીટીલકોલાઈન ચેતા દ્વારા સિગ્નલોને મોકલવામાં મહત્વપૂર્ણ છે, આ એક પ્રક્રિયા છે, જે અલ્ઝેઈમરના રોગમાં તૂટે છે.
Donepezil ની સામાન્ય આડઅસરો
ઉબકા, ઊલટી, ભૂખમાં ઘટાડો, થકાવટ, અનિદ્રા, અતિસાર, સ્નાયુમાં ખેંચાણ
Want to Know More
Read Our Editorial PolicyDonepezil માટે ઉપલબ્ધ દવા
Donepezil માટે નિષ્ણાત સલાહ
- જો તમે ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડ કે આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડ લેવી નહીં.
- જો તમે સ્તનપાન કરાવતાં હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવાનું નિવારો.
- દર્દીઓ નીચેની રોગની સ્થિતિઓનો ઇતિહાસ ધરાવતાં હોય તેવા કેસમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ : પેટ કે નાના આંતરડાના ઉપલા ભાગમાં અલ્સર; આંચકી (તાણ) અથવા વાઇ; હ્રદયની સ્થિતિ (હ્રદયના અનિયમિત કે બહુ ધીમા ધબકારા); અસ્થમા કે ફેફસાની લાંબા સમયથી રોગ; યકૃતની સમસ્યાઓ કે હેપટાઇટિસ; પેશાબ કે કિડનીનો હળવો રોગ.
- જો તમે સગર્ભ હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવો નહીં.
- 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવો નહીં.
- ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડને દારૂ સાથે લેવી નહીં કેમ કે દારૂ તેની અસર બદલી શકે.
- ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીન ચલાવવા નહીં.



