Azelaic Acid ઉપયોગ
ખીલ (ફોલ્લી) ની સારવારમાં Azelaic Acid નો ઉપયોગ કરાય છે
Azelaic Acid કેવી રીતે કાર્ય કરે
એઝેલૈક એસિડ, ડાઇકાર્બોક્સિલિક એસિડ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ત્વચાના છિદ્રોમાં ચેપ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને મારીને અને ખીલનું ઉત્પાદન કરતા કેરાટિન નામના કુદરતી પદાર્થના ઉત્પાદનને ઓછુ કરી ખીલનો ઉપચાર કરે છે. એઝેલૈક એસિડ રોઝેસિયાનો ઉપચાર કેવી રીતે કરે છે તે જાણીતું નથી.
Azelaic Acid ની સામાન્ય આડઅસરો
ઉપયોગ કરવાની જગ્યા પર બળતર, ઉપયોગ કરવાની જગ્યા પર દુખાવો, ઉપયોગી જગ્યાએ ખંજવાળ
Want to Know More
Read Our Editorial PolicyAzelaic Acid માટે ઉપલબ્ધ દવા
Azelaic Acid માટે નિષ્ણાત સલાહ
- જો તમને સંવેદનશીલ ત્વચા હોય તો સારવારના પ્રથમ અઠવાડિયા માટે દિવસમાં માત્ર એકવાર તમારે એઝેલેઈક એસિડ લગાડવું જોઈએ અને ત્યારબાદ દિવસમાં બે વખત લગાડવું જોઈએ.
- તમારે કોઈપણ સમયે 12 કરતાં વધુ મહિના માટે એઝેલેઈક એસિડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
- ક્રીમ/જેલ લગાડતાં પહેલાં, સાદા પાણીથી ત્વચાને સંપૂર્ણપણે સાફ કરો અને તેને સૂકી બનાવો.
- એઝેલેઈક એસિડ માત્ર ત્વચા પર બાહ્ય તરીકે ઉપયોગ કરવા માટે છે. તમારે તમારી આંખ, મોં અથવા ત્વચાની અંદરના કોઈપણ સ્તર (મ્યુકસ મેમ્બ્રેન) સાથે એઝેલેઈક એસિડનો સંપર્ક થવા દેવો જોઈએ નહીં. જો આમ થાય તો પુષ્કળ પ્રમાણમાં ઠંડા પાણીથી તરત ધોવું.
- જો તમને અસ્થમા હોય તો એઝેલેઈક એસિડનો ઉપયોગ સાવધાનીથી કરવો, કેમ કે લક્ષણો વણસવાના બનાવો જણાવવામાં આવ્યા છે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.



